આજની વાર્તા

Talk Of The Day Series

Motivational Story

ભગવાને એકવાર એક ખીલી પાણીમાં નાખી તો ખીલીનું શું થયું?? તે ખીલી ડૂબી ગઈ.

પછી બીજીવાર ભગવાને લાકડું નાખ્યું તો શું થયું ?? તે લાકડું તરવા લાગ્યું.

જોનારા બધાએ ઉત્તર આપ્યો કે આતો કોમન છે. આમા નવું કે ચમત્કાર જેવું શું થયું??

ત્યારે ભગવાને ડૂબી ગયેલી ખીલીને લાકડામા હથોડા વડે જોડી દીધી પછી એ લાકડું પાણીમાં નાખ્યું તો લાકડા સાથે ખીલી પણ તરવા લાગી.

ભગવાને બધાને સમજાવતાં કહ્યું કે આ સંસાર સાગરમાં આપણે રહીએ છીએ એટલે કોઇ દીવસ કોરા નથી થવાના પરંતુ જો ભગવાન સાથે જોડાઈ જઈએ તો આપણે માયા તરી જઈએ. ભવપાર થઈ જઈએ.

કોઈપણ રીતે કોઈપણ સંજોગોમાં ભગવાન સાથે જોડાયેલા રહેવું.

આપણે સહુ ખીલ્લી જ છીએ.

🌈